રજવાડાંના સમયની વાત છે. કાદુ મકરાણી નામે એક બહારવટિયો સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો. જૂનાગઢની નવાબ સરકારે આ બહારવટિયાને પકડવા માટે ખાસ ભરતી કરી સિપાહીની ટુકડી બનાવી હતી.જયાં કયાંયથી પણ કાદુના વાવડ મળે એટલે એ ટુકડી તેને પકડવાની પેરવીમાં પડી જાય. પણ , જો સમાચાર મળે કે કાદુ ઉતર તરફ ગયો છે તો ટુકડી તરત જ દક્ષિણ તરફ તપાસ શરુ કરી દે..! આવું કેમ ? કારણ કે જો કાદુ પકડાઇ જાય તો આ ખાસ ટુકડીની કામગિરી પૂણૅ થઇ જતી હતી અને તે પછી સહુને નોકરીમાંથી છુટા કરી દેવાના હતા..!!
આમાં કયાંથી કાદુ પકડાઇ..?!
વિચારો , આપણાથી આવું કશું થતું નથી ને ?!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો